Wednesday, August 19, 2026

19Aug 2629th ph.d on my works I am enjoying my creativity and fame.i am fortunate ,who has got place among galaxy of modern sanskrit writers. I worked in various fields of literature and Shastras .I tried to lift sanskrit writing to modern era and connected it to world sensitivity.my prose has new horizons.I thanks all scholars ,their guides, readers and critics.Dr Yagna Desai had so many health problems but this brave girl never yield to problems .I wish all successes to her .આદરણીય,પ્રિય હર્ષદેવ માધવ સર,મારા માટે આજે આ સંદેશ લખવો એ પણ એક વિશેષ લાગણીની ક્ષણ છે. મારું પીએચ.ડી. પૂર્ણ થઈ ગયું છે અને આ સમગ્ર યાત્રાને પાછળ વળીને જોઉં છું ત્યારે આપ પ્રત્યેની કૃતજ્ઞતા શબ્દોમાં વ્યક્ત કરવી અત્યંત મુશ્કેલ લાગે છે.આપના અને ઋષિરાજ જાની સરના પુસ્તક પર સંશોધન કરવાની તક મળી એ મારું પરમ સૌભાગ્ય માનું છું; અને એથી પણ વિશેષ સૌભાગ્ય એ છે કે સંશોધન દરમિયાન મને આપને રૂબરૂ મળવાનો અને આપના સાન્નિધ્યનો લાભ લેવાનો અવસર મળ્યો.મારી પીએચ.ડી.ની યાત્રાના આરંભથી અંતિમ ચરણ સુધી આપે મને જે પ્રકારે સહકાર, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે, તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. સંશોધન દરમિયાન જ્યાં જ્યાં હું મૂંઝાઈ, ત્યાં માત્ર મારી મૂંઝવણ સાંભળીને અટકી ન જતાં, તેના ઉકેલ સાથે આપ મારી પડખે ઊભા રહ્યા. આપના શબ્દોએ અનેક વખત મારો આત્મવિશ્વાસ વધાર્યો અને કઠિન લાગતા તબક્કાઓમાંથી આગળ વધવાની શક્તિ આપી.આપનો સૌમ્ય, સરળ અને સાલસ સ્વભાવ મને હંમેશાં ખૂબ સ્પર્શ્યો છે. આપની વિનમ્રતા, સહજતા અને સહૃદયતા મારા માટે માત્ર પ્રશંસનીય ગુણો નથી, પરંતુ મારા પોતાના વ્યક્તિત્વમાં પણ એ ગુણો કેળવવાની પ્રેરણા છે.મારા સંશોધનને માત્ર વિષય તરીકે નહીં, પરંતુ એક સંશોધકની યાત્રા તરીકે સમજીને આપે જે આત્મીયતા અને સહકાર આપ્યો, તે મારા માટે અમૂલ્ય છે. મારી પીએચ.ડી.ની પદવીમાં મારા પરિશ્રમની સાથે આપના પ્રોત્સાહન અને આશીર્વાદનો પણ એક મહત્વપૂર્ણ અંશ છે.આપનો હૃદયપૂર્વક આભાર માનું છું સર અને અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપનું સ્નેહ, માર્ગદર્શન અને આશીર્વાદ હંમેશાં મારી સાથે રહે એવી હાર્દિક અભ્યર્થના.સાદર પ્રણામ. 🙏🙇‍♀️☺️

No comments :

Post a Comment